ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતાં 21 જુલાઈ, 2026ના રોજ 28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલી તથા નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યપાલની મંજૂરી બાદ જાહેર કરાયેલા આ આદેશો અનુસાર વિવિધ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO), સરકારી નિગમો અને વીજ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. પ્રભાવ જોશીને GIDC, ગાંધીનગરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે, સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે, આઈ. આર. વાળાને જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમજ સ્મિત સંતોષ લોઢાને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ (પર્સનલ) ડૉ. અંજુ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ રાજ્યના વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને સુદૃઢ બનાવવા માટે આ ફેરબદલો કરવામાં આવ્યા છે.
#GujaratGovernment #IASTransfer #GASTransfer #GujaratNews #AdministrativeReforms #IASOfficers #HumDekhengeNews