ગોધરા: પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં તસ્કરોએ GST ઇન્સ્પેક્ટરના ઘર ને નિશાન બનાવી 10 તોલા સોનાના દાગીનાની ચોરી કરી
ગોધરા ના બામરોલી વિસ્તારના હાર્દસમા પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ચોરી કોઈ સામાન્ય નાગરિકના ઘરે નહીં, પરંતુ સરકારી અધિકારીના બંધ મકાનમાં થઈ છે.મળતી માહિતી અનુસાર, વડોદરા ખાતે સ્ટેટ GST ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ નરસિંહભાઈ પણદા ગોધરાની પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં રહે છે. ગત ૨૧ એપ્રિલના રોજ તેઓ પોતાના પરિવાર સાથે સામાજિક કામ અર્થે લીંમડી મુ