મણિનગર: વિશાલા સર્કલ પાસે ટ્રાફિક જામથી લોકોને હાલાકી, બ્રિજની કામગીરીને લઈ રોડ બંધ
વિશાલા સર્કલ પર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. અહીં બ્રિજના કામકાજ અર્થે રોડ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સાઇન બોર્ડ કે બેરિકેડ ન મુકાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાની માહિતીના અભાવે વાહનો રોંગ સાઇડમાં ઘૂસી જતાં આખા વિસ્તારમાં કલાકો સુધી ચક્કાજામ અને ભારે ટ્રાફિક સર્જાયો છે.