કાલોલ: કાલોલ સરદાર ભવન ખાતે સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
આધુનિક ભારતના ઘડવૈયા અને ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે તારીખ ૨૧/૦૫/૨૦૨૬ નાં ગુરુવારના રોજ કાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કાલોલ સરદાર ભવન કોંગ્રેસ હાઉસ ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્વ. રાજીવજીની તસવીરને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યાં ઉપસ્થિત આગેવાનોએ રાજીવ ગાંધીના દેશના વિકાસમાં આપે