વડનગરના ઘાસકોળ દરવાજા નજીક આવેલા રાવળવાસમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરો ઉભરાય રહી છે જેને લીધે રહિશો પરેશાન બન્યા છે. વારંવાર રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કામ કરવામાં ન આવતું હોવાનું રહિશો જણાવી રહ્યા છે. ઉભરાતી ગટરો પર પાલિકા ઉપરછલ્લું કામ કરી નિકળી જતી હોવાથી સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. રાવળવાસના રહિશોને ઉભરાતી ગટરોથી મચ્છરજન્ય રોગોનો ભય પણ સતાવી રહ્યો છે અને ચીફ ઓફિસર જલ્દી કામ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી છે.