કરજણ: કરજણ - નારેશ્વર પાલેજની એસ.ટી બસનો ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારેશ્વર ધામના ટ્રસ્ટીના વરદ હસ્તે પ્રારંભ.
કરજણ - નારેશ્વર - પાલેજની એસ.ટી બસ શરૂ કરવા માટે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા એસ.ટી.વિભાગને રજૂઆત કરાઈ હતી.જે રજૂઆતના પગલે એસ.ટી.વિભાગ દ્વારા કરજણ - નારેશ્વર - પાલેજ જવા માટે એક સટલ બસની ફાળવણી કરાઇ હતી.જે અંતર્ગત આ બસનો આજે બપોરે નારેશ્વર ધામ ખાતેથી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારેશ્વર ધામના ટ્રસ્ટી યોગેશભાઇ વ્યાસના વરદ હસ્તે પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે કરજણ એસ.ટી.ડેપોના મેનેજર સહિત સ્થાનિક આગેવનો ઉપસ્થિત રહ્યાં હતાં.