નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અનુ. જાતિ સરકારી કન્યા છાત્રાલયમાં છેલ્લા કેટલાક દિવસથી અજાણ્યો ઈસમ રાત્રિના સમયે હેરાન કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી. વોર્ડન દ્વારા પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે મામલો મીડિયા સુધી પહોંચ્યો હતો. જે બાદ સોમવારે સામાજિક કાર્યકર અને એડવોકેટ પારુલ મકવાણાએ અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી.