ગોધરા: વ્હોરવાડ ઢાળ પાસે ભરણપોષણના નાણાંની અદાવતે લોખંડની પાઈપ અને ધારદાર હથિયારથી હુમલો, ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાઈ
ગોધરા શહેરના વ્હોરવાડ ઢાળ પાસે 20 એપ્રિલે ભરણપોષણના જૂના વિવાદને કારણે હુમલાની ઘટના બની. જહુરપુરાના રહેવાસી શકીલ ઇકબાલ ચાંદલિયા પર મુસ્તાક મુસા પોલા, અલ્માસ પોલા અને રેહાન પોલાએ લોખંડની પાઈપ અને ધારદાર હથિયારથી હુમલો કર્યો. હુમલામાં શકીલને માથા, હાથ અને પગે ગંભીર ઇજાઓ પહોંચી. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.