વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ભવ્ય રીતે ઉજવાઈ રહી છે, ત્યારે સરદારની જન્મભૂમિ કરમસદથી પ્રારંભયેલી આ પદયાત્રા તથા પદયાત્રીકોનું પ્રચંડ જનમેદનીએ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરીને દેશની એકતા અને અખંડિતતાનો પ્રેરક સંદેશ પાઠવ્યો હતો.