સાયલા સરકાર સાથે આગામી દિવસોમાં પડતર પ્રશ્નની સમજુતી કરી જિલ્લા કવોરી ઉદ્યોગના માલીકોએ ક્રસરના પૈડા ચાલુ કર્યા છે. ગુજરાતના સરકારી કામો અને રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિત અનેક કામો માટે સાયલા તાલુકાનો પથ્થર વજન અને કાર્બન માટે એ.ગ્રેડ પથ્થર દૈનિક 50થી 60 હજાર ટન પીલાતો હતો. પરંતુ 21 દિવસ પછી 130 કવોરીના ક્રસર શરુ થતા માત્ર 30 ટન હજાર ટન પથ્થર પીલાયો હોવાની ધારણા જોવા મળી છે.