ગોધરા: ગોધરા સર્કિટ હાઉસ ખાતે લોક જનશક્તિ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ: બિરસામુંડા ભગવાનની યાત્રા અંગે અપાઈ માહિતી
ગોધરા સર્કિટ હાઉસ ખાતે લોક જનશક્તિ પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં આગામી ૦૫ જૂનના રોજ અંબાજીથી ઉમરગામ સુધી આયોજિત થનારી ભવ્ય 'ભગવાન બિરસામુંડા યાત્રા' ની રૂપરેખા અંગે મીડિયાને માહિતગાર કરાયા હતા. આદિવાસી સમાજની અસ્મિતા સમાન આ યાત્રાને સફળ બનાવવા પક્ષના પ્રદેશ પ્રમુખ આશિષભાઈ પટેલ, સંયુક્ત સચિવ કેશરભાઈ ભીલ, સચિવ અનિલભાઈ પટેલ, રમણભાઈ વલવાઈ અને સંગઠન મંત્રી પ્રકાશભાઈ ગઠવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા