રાજ્ય સભાના સાંસદ અને પંચમહાલના અગ્રણી નેતા ડોક્ટર જશવંતસિંહ પરમાર દ્વારા આજે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન ( SIR) ને વેગ આપવા માટે ગોધરા શહેરમાં મુલાકાત લેવામાં આવી હતી. ડો. પરમારે આજે ગોધરા શહેરના વોર્ડ નંબર 4 માં આવેલ બુથ નંબર 155, 156, અને 157 ના મતદારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ચાલી રહેલા SIR અભિયાન વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.