રાલેજ રાજપુર ચેકડેમ પર નવા બ્રીજની કામગીરી પૂરજોશમાં ચાલુ છે ત્યારે ગુજરાત રાજ્યના નર્મદા જળ સંપતી અને પાણે પુરવઠા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પટેલે રાલેજ-કલમસર વચ્ચે બની રહેલા નવા હાઇ-લેવલ બ્રીજની સ્થળ મુલાકાત લીધી હતી તેમજ કામગીરી સમયસર પુર્ણ થાય અને છેવાડાના લોકોની સમસ્યાનો સમયસર નિવારણ થાય તે માટે સૂચન કર્યું હતુ.ધારાસભ્ય ચિરાગભાઇ પટેલે નહેર સિંચાઇથી વંચિત ખેડુતોને સિંચાઇનો લાભ મળે તે માટે નવી લીફઇરીગેશન યોજના સ્થાપવા રજુઆત કરી હતી.