રાણીયા ગામના ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ સ્વભિમાન સંમેલન દરમિયાન વિરોધ નોંધાવ્યો. રાણીયા ગ્રામ પંચાયતમાં લોકો દ્વારા ભાજપના કાર્યકર અને આગેવાનોના પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા. રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ આ નિર્ણય લેવાયો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ કરાઈ છે.