રથયાત્રા પૂર્વે દુગ્ધસ્નાન, જલાભિષેક બાદ મહાઆરતી : 15 દિવસ સુધી ‘અનાસર’ અવસ્થામાં રહી અષાઢી બીજે દર્શન આપશે
દાહોદમાં ભગવાન જગન્નાથજીનો જલાભિષેક મહોત્સવ ઉજવાયો
આગામી રથયાત્રા મહોત્સવની તૈયારીઓ વચ્ચે દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીના જલાભિષેક મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે 29 જૂન સોમવારના રોજ હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને વિધિવત જલાભિષેક કરવામાં આવ્યો હતો.
જગન્નાથ સંપ્રદાયમાં જેઠ પૂર્ણિમાના દિવસે યોજાતા જલાભિષેકનું વિશેષ ધાર્મિક મહત્વ છે. માન્યતા મુજબ ભગવાનને 108 કળશના પવિત્ર જળ અને દુગ્ધથી અભિષેક કરવામાં આવે છે. આ પ્રસંગને 'સ્નાન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જલાભિષેક બાદ ભગવાન 15 દિવસ સુધી 'અનાસર' અવસ્થામાં રહે છે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રામાં નગરજનોને દર્શન આપે છે. રથયાત્રા
Dohad, Dahod | Jul 12, 2026