દાંતા: અંબાજી ખાતે નીકળી દશામાતાની શોભાયાત્રા, બહોળી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા,લોકો ભક્તિના રંગે રંગાયા.
અંબાજી ખાતે નીકળી દશામાતાની શોભાયાત્રા,બહોળી સંખ્યામાં લોકો જોડાયા શોભાયાત્રામાં,શોભાયાત્રા દરમીયાન લોકો રંગાયા ભક્તિના રંગે.આજે સાંજે સાત કલાક આસપાસ અંબાજી હાઈસ્કૂલ સામેથી આ શોભાયાત્રા નીકળી હતી. અંબાજી ખાતે વિવિધ તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવાતા હોય છે.જ્યારે અંબાજી ખાતે દશામાતાના વ્રત નિમિત્તે આ શોભાયાત્રા નીકળી હતી.જે સમગ્ર નગરમાં ફરી અને પરત હાઈસ્કૂલની સામે પહોંચી હતી.શોભાયાત્રા દરમિયાન લોકો ભક્તિના રંગે રંગાયા હતા.