મણિનગર: અમદાવાદના નવા પોલીસ કમિશનરે કર્યા ભદ્રકાલી માતાજીના દર્શન
અમદાવાદ શહેરના નવયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ લાલદરવાજા સ્થિત ઐતિહાસિક ભદ્રકાલી માતાજીના મંદિરે પહોંચીને દર્શન-આરતી કર્યા હતા. તેમણે માતાજીના આશીર્વાદ મેળવીને શહેરની શાંતિ, સુરક્ષા અને નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.