મોહરમ પર્વ અનુસંધાને કરવામાં આવેલી આ બેઠકમાં અલગ અલગ સમાજના માણસો તેમજ તાજીયા કમિટી, શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા. મહોરમ પર્વ નિમિત્તે નીકળનાર તાજીયાની સંખ્યા, તેમના રૂટ, ઊંચાઈની તમામ વિગતોથી વાકેફ થયા બાદ માનનીય પોલીસ અધિક્ષક દ્વારા પર્વ નિમિત્તે રાખવામાં આવનાર બંદોબસ્ત તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે ચર્ચા કરાઈ હતી.