દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી અને પદયાત્રા યોજાઈ. ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી હજારો લોકો જોડાયા. આદિવાસી સમાજના આગેવાનોએ ચૈતર વસાવા સામે ખોટા કેસો દાખલ કરી હેરાનગતિ કરવામાં આવી હોવાનો આરોપ લગાવી તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી. ન્યાય નહીં મળે તો રાજ્યવ્યાપી જેલ ભરો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે યોજાયો.
📍 Dahod Live – ઝડપી અને વિશ્વસનીય સ્થાનિક સમાચાર.
#Dahod #ChaitarVasava #AamAadmiParty #AdivasiSamaj DahodLive
દાહોદ, ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ, વિરોધ રેલી
Dohad, Dahod | Jun 27, 2026