થરાદ: થરાદમાં નવરાત્રી દરમિયાન જનજાગૃતિ, મહિલા સુરક્ષા કાર્યક્રમ યોજાયો
થરાદ શહેર માં નવરાત્રી પર્વના પાવન અવસર પર મહિલા અનેબાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ પોલીસ સપોર્ટ સેન્ટર થરાદ દ્વારા વિશેષ જનજાગૃતિ, મહિલા સુરક્ષા કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પરમાર રેખાબેન દ્વારા દીકરીઓ તેમજ માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે દીકરીઓને શૈક્ષણિક માહિતી, આત્મરક્ષા અંગે જ્ઞાન તેમજ રોજિંદા જીવનમાં સુરક્ષા અંગે અગત્યની બાબતો સમજાવી. સાથે સાથે માતાઓને બાળકોના ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ સમજાવ્યું.