જેસર: ડુંગરપુર ગામે સાવજનો આતંક જોવા મળ્યો સિંહ દ્વારા પાંચ પશુઓ પર હુમલો કરવામાં આવ્યો
જેસર તાલુકાના ડુંગરપર ગામે સાવજનો આતંક જોવા મળ્યો છે. ગામના સીમ વિસ્તારમાં સિંહ દ્વારા પાંચ પશુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બે પશુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાને પગલે પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. રાત્રિના સમયે સિંહ ગામની આસપાસ ફરી રહ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. પશુપાલકોએ જણાવ્યું હતું કે સિંહે અચાનક પશુઓ પર તૂટી પડી હુમલો કરતા ભા