કાલોલ: કાલોલમા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નગરપાલિકા પાછળ રૂ. ૧૭ લાખના ખર્ચે નવનિર્મિત શૌચાલય ખુલ્લું મુકાયું
કાલોલ શહેરમાં સ્વચ્છતાના સ્તરને વધુ મજબૂત કરવા અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી 'સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત એક મહત્વપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કાલોલ નગરપાલિકા પાછળ અંદાજિત રૂ. ૧૭ લાખના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક નવીન શૌચાલયને આજ રોજ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓની સુવિધા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને આ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.