ભરૂચ: વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે પોલીસ હેડક્વાટર્સ ખાતે પોલીસ વિભાગ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આજે સવારથી આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લાના પોલીસવડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પોલીસ જવાનો દ્વારા સામાજિક ફરજરૂપે આ માનવતાની મહેક ભાવપૂર્વક નિભાવી હતી.