કરજણ: કરજણ નગરમાં આવેલ રણછોડજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયાં
અષાઢી બીજ ના દિવસે કરજણ નગરમાં આવેલ ભગવાન રણછોડજી મંદિર ખાતેથી 17 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રથયાત્રાનું ઉત્સાહભેર ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.કરજણ નગરના વિવિધ માર્ગો પરથી પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળી હતી.કરજણ નગરના જાહેર માર્ગો જય જગન્નાથ ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.રણછોડજી મંદિરેથી નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભકતજનો જોડાયા હતાં.