મહુવા: બી.આર.ઉમરાકર વિનય મંદિર ઉમરા શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
Mahuva, Surat | Feb 24, 2026 અંબિકા તાલુકાની બી.આર.ઉમરાકર વિનય મંદિર ઉમરા શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાથીઓને વિદાય અને શુભેચ્છા કાર્યક્રમ માં શાળાના પ્રમુખ નરેશકુમાર ત્રિવેદી મંત્રી દીપકભાઈ પટેલ સહમંત્રી ઇચ્છુભાઈ પટેલ તુલસી કોમ્પલેક્ષ ના બદ્રીભાઈ અને ૐ વલ્લભ ફરસાણ ના નવનીતભાઈ ઉપસ્થિત રહ્યા અને બાળકોને શુભેચ્છા આપી તેમને પ્રોત્સાહિત કર્યા.પ્રમુખ નરેશભાઈ ત્રિવેદી એ રક્ષાકવચ બાધી આશીર્વાદ આપ્યા તેમજપ્રમુખશ્રી નરેશભાઈ અને મંત્રીશ્રી દીપકભાઈ એ શુકનભેટ આપી હતી.