અમદાવાદ શહેર: રથયાત્રાને લઇ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યુ
આજે સોમવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ રથયાત્રાને લઇ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યુ હતુ.આગામી ૧૪૯મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા સંપન્ન થાય તે માટે જગન્નાથ મંદિરથી ૧૪ કિલોમીટરના સમગ્ર રૂટ પર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મેગા સુરક્ષા રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલમાં SRP અને RAF સહિત ૨ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ જોડાયા હતા.