થરાદ: ચામુંડા નગર વિસ્તારમાં હર્ષ બંગલોઝ સોસાયટી ખાતે નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી
થરાદના ચામુંડા નગર વિસ્તારમાં આવેલી હર્ષ બંગલોઝ સોસાયટીમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લગભગ 100 ઘરો ધરાવતી આ સોસાયટીમાં મુખ્યત્વે વેપારી વર્ગ વસેલો છે, જ્યાં દર વર્ષે ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક નવરાત્રીની ઉજવણી થાય છે.ખેલૈયાઓ મન મુકીને માતાજીના ગરબા રમે છે અને મા ભગવતીની આરાધના કરે છે. દરરોજ પૂજા-અનુષ્ઠાન, આરતી અને ઈસ્ટ ઉપાસનાનું આયોજન થાય છે.