આજે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ ઈડર તાલુકાના બડોલી- વડીયા વીર માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હતું જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓ તેમજ બિલેશ્વર ધામ મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમજ ખાસ કરીને ચોમાસા દરમિયાન ત્રણ મોટા ગરનાળા પરથી પસાર થવું મુશ્કેલ બની રહેતું હતું. ત્યારે હવે તંત્ર દ્વારા માર્ગ નું કામ પૂર્ણ કરી ખુલ્લો મુકાતા વાહનચાલકો અને વિસ્તારના રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.