અમદાવાદ શહેર: અમદાવાદના સરખેજ-SG હાઇવે પર મોડી રાત્રે ખાનગી JCB દ્વારા ભંગારના ગોડાઉન પર તોડફોડ કરવામાં આવી હોવાના આક્ષેપ
અમદાવાદના સરખેજ-SG હાઇવે પર મોડી રાત્રે ખાનગી JCB દ્વારા ભંગારના ગોડાઉન પર તોડફોડ કરવામાં આવી હોવાના આક્ષેપ. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાંચથી છ વખત 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર કોલ કરવા છતાં પોલીસ તરફથી કોઈ મદદ મળી નહીં. ખાનગી JCB દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાનું સામે આવ્યું છે.