નાયબ મામલતદાર (પુરવઠા) કલ્પનાબેન ગામીત, જેનિસભાઈ ટેલર સહિતનો સ્ટાફ સરભોળ વિભાગ વિવિધ કાર્યકારી આપબળ સહકારી મંડળી સંચાલિત પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર ખાતે પહોંચ્યો હતો. ત્યાં ગામના સરપંચ તેમજ સ્થાનિક ગ્રાહકોને બોલાવી તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તમામ ગ્રાહકોએ સ્પષ્ટ જણાવ્યું કે તેમને મળતા અનાજમાં કોઈ પ્રકારની ગેરરીતિ, મિલાવટ અથવા ગુણવત્તાની ખામી નથી. તમામ બાબતો સ્થળ પર ચકાસતા કોઈ અનિયમિતતા જોવા મળી ન હતી.