પ્રા. આરોગ્ય કેન્દ્ર પરનાળા ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત આરોગ્ય નિદાન કેમ્પનુ આયોજન કરાયું.જેનો પરનાળા તેમજ નજીક ના આજુબાજુના ગામ લોકોએ લાભ લીધો હતો. મેડીકલઓફિસર ડોક્ટર હેમાલી પરીખ અને આર.બી.એસ. કે. ડોક્ટર ચિરાગ શ્રીગોડ ધ્વારા જેમાં ૪૯ જેટલી જોખમી તથા અતિ જોખમી સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી. તેમાંથી ૮ જેટલી સગર્ભા માતાઓને એનીમિયાની સારવાર તથા ઇન્જેક્શન આપવામાં આવ્યા. ૬ સગર્ભા માતાઓના (PMJAY) કાર્ડ કાઢી અપાયા હતા.