સુરત: સતીશ મરાઠા હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર રાહુલ મંડળને રિમાન્ડ પ્રક્રિયા માટે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, જેલમાં બેઠા બેઠા હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. સમગ્ર હત્યાકાંડની વધુ કડીઓ, આરોપીઓની ભૂમિકા અને કાવતરાની વિગતો જાણવા પોલીસ દ્વારા રાહુલ મંડળની સઘન પૂછપરછ કરવામાં આવશે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
Udhna, Surat | Aug 11, 2026