Public App Logo
Profile Picture

prasarsandesh

@usr675222154
668Followers
0Following
વડોદરા બ્રેકિંગ | SSG હોસ્પિટલમાંથી 376 કેસનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલા 376ના કેસના 18 વર્ષીય આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, રમેશ નામના આરોપીને સ્કિન વિભાગમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે ફરજ પર રહેલા કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહને ધક્કો મારી નાસી છૂટ્યો હતો. આરોપી હોસ્પિટલના કેમ્પસમાં નવી બની રહેલી ઇમારત તરફ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો SSG હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપીને ઝડપી પાડવા હોસ્પિટલ તેમજ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે આરોપીની શોધખોળ માટે ચુસ્ત કાર્યવાહી હાથ ધરી છે.
સુરત, સતીશ મરાઠાનો મૃ-તદે-હ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપાયો
પરિવારજનો, મિત્રો અને ઓળખીતાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા
મૃ-તદે-હને અંતિમ સંસ્કાર માટે નિવાસસ્થાને લઈ જવાયો....
# **જાહેર રસ્તા પર ધામધૂમથી જન્મદિવસની ઉજવણી, પાંડેસરા પોલીસની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલ**

**સુરત:** પાંડેસરા વિસ્તારમાં ટિયા દલાઈ નામના વ્યક્તિ દ્વારા જાહેર રસ્તા પર ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

વાયરલ વીડિયોને લઈને સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે જો કોઈ સામાન્ય નાગરિક જાહેર રસ્તા પર આવી રીતે ઉજવણી કરે તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે છે, પરંતુ આ ઘટનામાં કાર્યવાહી થઈ કે નહીં તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

લોકોમાં એવી પણ ચર્ચા છે કે કાયદાનું પાલન કરાવવામાં પોલીસ દરેક માટે એકસરખું વલણ અપનાવે છે કે પછી કેટલાક લોકો માટે નિયમો અલગ રીતે લાગુ પડે છે? હવે લોકો પોલીસ વિભાગ પાસેથી આ મામલે સ્પષ્ટતા અને જરૂરી કાર્યવાહી અંગે જવાબની અપેક્ષા રાખી રહ્યા છે.

આ સમગ્ર મામલે પોલીસ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જો પોલી
ભેસ્તાનના સતીષ મરાઠા હત્યાકાંડમાં પોલીસની મોટી સફળતા, મહારાષ્ટ્ર ભાગે તે પહેલાં મુખ્ય આરોપીઓ ઝડપાયા...
તાપી જિલ્લા એલસીબી, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં જય આદિવાસી સેના દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના જણાવ્યા અનુસાર, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે લગાવવામાં આવેલ બેનર અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવાયું હતું.

રેલીની શરૂઆત આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તાલુકા પ્રમુખ, પોલીસ સ્ટેશન અને મામલતદારને આવેદનપત્ર આપી બેનર ચોરીના મામલે જવાબદારોને શોધી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

અંતમાં ફરી માન-સન્માન સાથે બેનર લગાવવામાં આવ્યું, ધરતી વંદના કરવામાં આવી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આયોજકોએ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો.
સુરત: રક્ષાબંધન પહેલાં જ રાંદેરના રામનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય આદિત્યનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ દાંડી ફાટક નજીક બાઈક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક પર ત્રણ યુવકો સવાર હતા, જેમાં આદિત્યનું ઘટનાસ્થળે જ મોત થયું, એક યુવક ઈજાગ્રસ્ત થયો છે જ્યારે અન્ય એક સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારના જણાવ્યા અનુસાર અકસ્માત ફાઉન્ટેન સ્કૂલની બસ સાથે થયો હતો અને બસ દ્વારા ટક્કર મારવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

મૃતકના પરિવારમાં માતા-પિતા અને એક મોટી બહેન છે. રક્ષાબંધન પહેલાં જ ભાઈનું અકાળે નિધન થતાં પરિવારમાં ગમગીનીનો માહોલ છે. પરિવારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સરસ્વતી આવાસ નજીક એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ સતીશ મરાઠે ઉર્ફે બટકા તરીકે થઈ છે. અજાણ્યા હુમલાખોરોએ જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સતીશનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે તેમજ આસપાસના CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
સુરતના ભેસ્તાનમાં હત્યાથી સનસનાટી, સરસ્વતી આવાસ પાસે યુવકની કરપીણ હત્યા
સતીશ મરાઠે ઉર્ફે બટકાની હત્યા, હુમલાખોરોની શોધખોળમાં પોલીસ
ભેસ્તાનમાં જીવલેણ હુમલો, યુવકનું મોત થતાં વિસ્તારમાં ચકચાર
સરસ્વતી આવાસ નજીક હત્યાકાંડ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાસ્થળે સમગ્ર ચોરીના ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીએ પોલીસ સમક્ષ ચોરી કેવી રીતે આચરી, કયા માર્ગે ઘરમાં પ્રવેશ કર્યો, કિંમતી મુદ્દામાલ કેવી રીતે ચોરી કર્યો અને ઘટનાસ્થળેથી કેવી રીતે ફરાર થયો તેની વિગતવાર માહિતી આપી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમનું પુનઃનિર્માણ કરી જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી તપાસને વધુ મજબૂત બનાવવા અને કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં મદદરૂપ બનશે.
લિંબાયતમાં કોંગ્રેસના પૂર્વ નેતા સામે રૂ. 4 લાખની ખંડણી માંગ્યાનો ગુનો નોંધાયો....
વેપારીની ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ, આરોપી અગાઉ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયાનો દાવો
🚨 બ્રેકિંગ ન્યૂઝ (BREAKING NEWS) 🚨

પાલેજ બ્રિજ નીચે ખાડાના કારણે મુસાફરો ભરેલી રીક્ષા પલ્ટી, અકસ્માત સર્જાયો

 રસ્તા પરના ભયાનક ખાડાના કારણે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઈ.

 ઘટના સમયે રીક્ષા પેસેન્જરોથી ભરેલી હોવાની માહિતી.

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મુસાફરોની મદદ માટે દોડી આવ્યા.

 બ્રિજ નીચે રસ્તાની બિસ્માર હાલત અને ખાડાઓને કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈને વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ.
સુરત:શહેરમાં શાંતી અને સલામતી જાળવવા ડિંડોલી પોલીસ એક્શન મોડમાં! પેટ્રોલિંગ દરમિયાન ચપ્પુ જેવા તીક્ષણ હથિયાર સાથે ઝડપાયેલ આરોપીને કાયદાનું ભાન કરાવતી ડિંડોલી પોલીસ.
..
૧૧ વર્ષ ના બાળકને તેની માતા એ ઠપકો આપતા ઘર છોડી ચાલી ગયેલ જેને ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે મિલન કરાવતી ડિંડોલી પોલીસ
સુરત બ્રેકિંગ…

ખરવર નગર બસ સ્ટેન્ડ પાસે એક યુવક મોબાઈલ ચોરી કરતા રંગે હાથ પકડાઈ જતા પબ્લિકે ચખાડ્યો મેથીપાક,

વિડિયો થયો સોશિયલ મીડિયા માં વાયરલ.
જલાલપોર પોલીસની NDPS હેઠળ કાર્યવાહી, ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ

નવસારી જિલ્લામાં નશાકારક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ (IPS)ના માર્ગદર્શન હેઠળ જલાલપોર પોલીસે સફળ કાર્યવાહી કરી છે.

તા. 3 ઓગસ્ટ, 2026ના રોજ જલાલપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિરલનગર વિસ્તારમાં રાજેશ શિવહરેના ઘર પાસે ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી બે શખ્સોને 0.22 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ભદોરિયા (ઉ.વ. 42) અને મનોજભાઈ બાબુલાલ પટેલ (ઉ.વ. 50)નો સમાવેશ થાય છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલ અજય પાલ નામનો રિક્ષા ડ્રાઈવર હાલ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹1,61,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 0.22 કિલોગ્રામ ગાંજો, એક CNG રિક્ષા તેમજ બે મોબાઇલ ફોનનો સ�
લિંબાયત પોલીસ સ્ટેશનના આશીફખાન પઠાણની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ ટેકનીકલ, સાંયોગીંક અને સાઇન્ટીફીક પુરાવાઓ એકત્રીત કરી કોન્ટ્રાક્ટ કીલીંગનો ભેદ ઉકેલતી લિંબાયત પોલીસ

ગત તા-૧૩/૦૫/૨૦૨૬ ના રોજ મોજે, સુરત લિંબાયત મારૂતીનગર સર્કલથી નિલગીરી સર્કલ તરફ જતા મેઇન રોડ પર આવેલ હિંદ ટી સેન્ટર આગળ જાહેરમાં મરણ જનાર આશીફખાન ઇરશરતખાન પઠાણ ઉ.વ આ-૨૬ નાને તિક્ષ્ણ હથીયારો વડે તેના શરીરે બન્ને પગ પર,બન્ને હાથ પર, ગળાની બાજુના ભાગે,કપાળપર, પીઠના ભાગે ઘણા બધા ગંભીર જીવલેણ ઘા મારીને મોત નિપજાવેલ જે અંગે ફરીયાદી શ્રી જાફરઅલી મહોબતઅલી શેખ ઉ.વ.૪૫ ધંધો. વેલ્ડીંગ રહે-પ્લોટ નં -૦૩,બીજા માળે રૂમ નં. ૦૧,ગલી નં-૦૨, પદ્માવતી સોસાયટી, લિંબાયત, સુરત શહેર મુળવતન- ગામ રાયપુરમુહારી, તહશીલ-ખાગા, જિલ્લા-ફતેહપુર, રાજ્ય-ઉત્તરપ્રદેશ નાઓએ આરોપીઓ કલીમઉદ્દીન સાહબુદ્દીન શેખ, સહેઝાદ નશીમુદ્દીન સિદ્દીકી તથા મોહમદ દિલસાદ રહીશ અહેમદ સલમાની રહે-લિંબાયત સુરતનાઓ વિર
સુરત - શહેરના અઠવા ગેટ વિસ્તારની ઘટના.
કાર સાથે રીક્ષા ટકરાતા રીક્ષા પલ્ટી મારી.
ધટનનના સીસીટીવી આવ્યા સામે.
રીક્ષા ચાલક અને પેસેન્જર ને સામાન્ય ઈર્જા થઇ 
સ્થાનિક લોકો દોડી આવતા રીક્ષા સીધી કરી હતી.
NO DRUGS IN SURAT CITY" અભિયાન હેઠળ લિંબાયત પોલીસે કોડીન સિરપની 105 બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
રૂ. 12,070ના પ્રતિબંધિત કોડીન સિરપ સાથે ફરદીન પઠાણ ઝડપાયો, NDPS હેઠળ ગુનો નોંધાયો
સલાબતપુરાથી કોડીન સિરપ લાવી વ્યારાના વ્યક્તિને સપ્લાય કરવાનું કબૂલતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી
ભેસ્તાનનું નાયરા પેટ્રોલ પંપ ફરી વિવાદમાં, MRP કરતાં બમણી કિંમત વસૂલવાના આક્ષેપ...
પેટ્રોલમાં નાખવામાં આવતા ઓઈલમાં ગ્રાહકો સાથે છેતરપિંડી? નાયરા પેટ્રોલ પંપ પર ગંભીર આક્ષેપ...
₹15ના ઓઈલના ₹30 વસૂલ્યા હોવાનો આક્ષેપ, ભેસ્તાનનું નાયરા પેટ્રોલ પંપ ચર્ચામાં....
નાયરા પેટ્રોલ પંપ સામે ગ્રાહકોનો રોષ, વધુ ભાવ વસૂલવા અને ગેરવર્તનના આક્ષેપ..
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ જમાદારની સમયસૂચકતા અને માનવતાથી બચ્યો વ્યક્તિનો જીવ

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના જમાદાર દ્વારા સમયસૂચકતા, માનવતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

સર્કલ-4, રીજીયન-1, ટ્રાફિક શાખા, સુરત શહેરમાં ફરજ બજાવતા જમાદાર પરેશકુમાર કરશનભાઈ માળી ડ્યૂટી દરમિયાન ગોડાદરા વિસ્તારમાં હાજર હતા. તે દરમિયાન એક વ્યક્તિ અચાનક બેભાન થઈને રસ્તા પર ઢળી પડ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી જમાદાર પરેશકુમાર માળીએ વિલંબ કર્યા વગર તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી.

108 પહોંચે તે પહેલાં જ તેમણે પોતાની તાલીમ અને હાજરજવાબીનો ઉપયોગ કરીને વ્યક્તિને CPR (Cardiopulmonary Resuscitation) સહિત જરૂરી પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું. સમયસર અને યોગ્ય રીતે આપવામાં આવેલી પ્રાથમિક સારવારના પરિણામે વ્યક્તિને ફરી ભાન આવી ગયું અને તેનો જીવ બચાવવામાં સફળતા મળી.

થોડી જ વારમાં 108ની ટ�
ભારે વરસાદ બાદ તાપી નદી બે કાંઠે

ભારે વરસાદ ને પગલે કોઝવે ઓવરફ્લો

તાપીમાં નવા પાણીની આવક

સુરતના નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ

સુરતમાં ભારે વરસાદની અસર

તાપી કિનારાના વિસ્તારોમાં સાવચેતીની અપીલ
લગ્ન ઇચ્છુક યુવકોઓને ટાર્ગેટ કરી અલગ અલગ સ્ત્રીઓ/મહિલાઓ સાથે મળી અલગ અલગ યુવકો સાથે લગ્ન કરી/રાવી આશરે ૧૭,૨૦,૦૦૦/-લાખ રૂપીયાના રોકડા/ઘરેણા લઇ ફરાઇ થઇ છેતરપીંડીના મુખ્ય આરોપીને ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ ટીમ

મે. પોલીસ કમિશનર સાહેબ શ્રી, તથા મે, અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી, સેકટર-૦૧ તથા મે. નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન-૧, અને મે. મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી “એ” ડીવીઝન સુરત શહેર નાઓએ હાલમાં લગ્ન ઇચ્છુક યુવકોને લગ્ન કરી આપવાની લાલચ આપી તેઓ સાથે થઇ રહેલ છેતરપીંડીના ગુનાઓ શોધી કાઢવા માટે સુચનાઓ આપેલ.

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.સોલંકી સાહેબ નાઓએ હાલમાં લગ્ન ઇચ્છુક વ્યકિતઓને લગ્ન કરી આપવાની લાલચ આપી મંદિરમાં લગ્ન કરાવી બાદમાં રોકડા રૂપીયા તથા ઘરેણા લઇ ફરાર થઇ જતી લુટેરી દુલ્હન બનતા બનાવોના આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ

જે અનવ્યે એક કાપોદ્રા ફરીયાદીશ્રીને આરોપી હીતેશભાઈ રતીલાલભાઈ કાપડીયા તથા અની�
૫.૭૮૦ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાં સાથે આરોપીને પકડી પાડી NDPS નો કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ.

I/C પોલિસ કમિશ્નરશ્રી વાબાંગ જામીર સાહેબ, સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર સેક્ટર-૦૨ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૫ શ્રી લખધિરસિંહ ઝાલા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર કે” ડીવીઝન શ્રી મિલન મોદી સાહેબ સુરત શહેર નાઓએ "SAY NO TO DRUGS, DRUG FREE SURAT" અભિયાન અંતર્ગત સુરત શહેર વિસ્તારમાં તેમજ પો.સ્ટે વિસ્તારમાં વધુમાં વધુ NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલ સુચનાથી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના પોલીસ ઈન્સપેક્ટરશ્રી ટી.બી.પંડયા સાહેબ તથા ।। પોલીસ ઇન્સપેકટરશ્રી યુ.બી.જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબઈન્સપેક્ટરશ્રી બી.જી.વસાવાતથા પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રી પી.જી.ગોહીલ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોની એક ટીમ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે બનાવવા�
સુરત બ્રેકિંગ

સુરતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ

સુરતનું સૂર્યપુર ગરનાળુ પાણીથી ભરાવા લાગ્યું

ગરનાળામાં પાણી જતા વાહન ચાલકોને અટવા નો વારો આવ્યો

તો ગરનાળાથી લઈ પોદાર આર્કેટ સુધીનો રોડ નદીમાં ફેરવાયો

રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્ય પણ સામે આવ્યા
ઇન્દોરમાંથી એક એવો મામલો સામે આવ્યો છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે 12 વર્ષ જૂના સંબંધનો અંત માત્ર થોડા જ મિનિટોમાં આવી ગયો. ત્યારબાદ આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ.
સંબંધમાં આવેલા અચાનક વળાંક અને સમગ્ર ઘટનાક્રમને લઈને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ તેને પ્રેમ, વિશ્વાસ અને બદલાતા સંબંધોની વાસ્તવિકતા સાથે જોડીને જોઈ રહ્યા છે....