ઊંઝા તાલુકાને સંભવિત વડનગર જિલ્લામાં સમાવેશ કરવા મુદ્દે ચાલતી હિલચાલ ને લઈ આજે ઊંઝાના વેપારી મંડળ સહિત વિવિધ એસોસિએશન તેમજ સંસ્થા ઓ અને અગ્રણીઓ ની બેઠક નીલકંઠ મહાદેવ મંદિર સંકુલમાં યોજાઈ હતી.જેમાં એક સુરે વડનગર જિલ્લામાં સમાવેશ મુદ્દે વિરોધ વ્યક્ત કરાયો હતો.અને ઊંઝા તાલુકાને મહેસાણા જિલ્લામાં રાખવા માગ કરાઈ છે.