ઠાસરા: પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ ન થાય ત્યાં સુધી ભાજપ કાર્યકરોએ ગામમાં પ્રવેશવું નહિ: સાંગોલ અને સોનિપુર ગામના ક્ષત્રિય સમાજ
Thasra, Kheda | Apr 8, 2024 સાંગોલ તથા સોનિપુર ગામના ક્ષત્રિય રાજપૂત સમાજે પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ આવેદનપત્ર આપ્યું છે. સાગોલ ગામમાં સમાજના લોકોએ ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાને કહ્યું કે, "જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય ત્યા સુધી ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહી."