તારાપુર: ઇન્દ્રણજની ડ્યુરાવીટ કંપનીના 230 કર્મચારીઓ હડતાલ પર, પગાર વધારા અને સુવિધાઓ માટે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત
Tarapur, Anand | Jul 10, 2026 તારાપુરના ઇન્દ્રણજ ખાતે આવેલી ડ્યુરાવીટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આશરે 230 જેટલા કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. આ મામલે કર્મચારીઓએ તારાપુર મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે.હવે જોવાનું એ રહેશે કે કંપની મેનેજમેન્ટ અને વહીવટી તંત્ર આ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે શું પગલાં લે છે.