શહેરમાં માધાપર પોલીસ ચોકીથી કાસમશાપીરની દરગાહ વચ્ચે ૨૮ તારીખે સવારે ૧૧ વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. ટ્રેઈલર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા મહિલાનું મોત થયું હતું. આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નવા અંજારમાં રહેતા જયેશકુમાર છગનલાલ ચંદાણીના જણાવ્યા પ્રમાણે તેમના મોટા ભાઈ હર્ષદભાઈ અને ભાભી જાગૃતિબેન મેઘપર (કુંભારડી)થી એક્સેસ નં. જીજે૧૨ – ઈએઆર – ૨૪૪૨ મા ભુજમાં આવતા હતા. બન્ને જણા મેઘપર (કુંભારડી)થી કે.કે.પટેલ હોસ્પિટલમાં હાર્ટની દવા લેવા જતા