નડિયાદ: કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ એ પોલિયો રસીકરણ ને લઈને માહિતી આપી
પોલિયો નાબૂદીકરણ અભિયાન હેઠળ આગામી ૨૩ જૂન,રવિવારના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિન અંતર્ગત જિલ્લાના આરોગ્ય કેન્દ્ર, આંગણવાડીઓ તેમજ નક્કી કરાયેલ સ્થળોએ ૦-૫ વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. જે અન્વયે જિલ્લા ક્લેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લાના ૦-૫ વર્ષની વયના અંદાજિત ૩,૨૬,૦૦૦ બાળકોને પોલિયોની રસીના ૨ ટીપાં અચૂક પીવડાવવા તમામ નાગરિકોને અપીલ કરી.