નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂની ગંદકી નો પ્રશ્ન ઉકેલવા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને પગલે મંગળવારે મનપાની ટીમ દ્વારા નડિયાદ શહેરના વિવિધ વિસ્તારમાં જાહેરમાં કચરો નાખતા 20 થી વધુ લોકો પાસેથી ગંદકી ફેલાવવા બાબતે ₹40,000 થી વધુનો દંડ વસૂલ્યો હતો અને આગામી દિવસોમાં પણ જાહેરમાં આ પ્રકારે કચરો ફેકનારા લોકો વિરુદ્ધ મનપા દ્વારા કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.