કરજણ: કરજણ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા NSFM યોજના અંતર્ગત ખેડૂતોને વિનામૂલ્યે તુવેર બિયારણ ની કીટોનું વિતરણ કરવામાં આવ્યું
કરજણ પંથકમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે.આ વરસાદ ખેતીલાયક હોવાથી કરજણ તાલુકાના ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયાં છે.ત્યારે કરજણ ખેતીવાડી વિભાગ દ્વારા NSFM યોજના અંતર્ગત કરજણ તાલુકાના ખેડૂતો માટે 4 કિલો તુવેર ના બિયારણ ની કીટનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે.જેને લઇને આજે બપોરના સમયે કરજણ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતાં.અને આ યોજના હેઠળ ખેડૂતોએ તુવેર ના બિયારણ ની કીટ નો લાભ લીધો હતો.