તારાપુર: ફતેપુરા પચેગામ રોડ પરના મામાદેવ મંદિરના ઓટલા પર જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા, 6 ફરાર
Tarapur, Anand | Mar 21, 2026 આણંદ LCBના પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ જયેન્દ્રસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે તારાપુરના ફતેપુરા-પચેગામ રોડ પર આવેલા મામાદેવના મંદિર પાસેના ઓટલા પર કેટલાક ઈસમો એકઠા થઈ પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર રેડ કરી હતી. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે કોર્ડન કરીને બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય છ શખ્સો નાસી છૂટ્યા હતા.