કરજણ: કરજણ તાલુકાના મિયાંગામ સહિત ના ગામોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં મોહરમ પર્વ ની ઉજવણી કરવામાં આવી
મોહરમ પર્વના દિવસે તાજીયા કાઢવાનું વિશેષ મહત્વ છે.આ મોહરમના મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો પોતાની ખુશીઓનો ત્યાગ કરીને શોક મનાવે છે.આજે મોહરમ પર્વ નિમિત્તે મિયાંગામ સહિત કરજણના અલગ અલગ ગામોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા યા હુસેનના નારા સાથે કલાત્મક તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યાં હતાં.આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતાં.આ ઉપરાંત મુસ્લિમ બિરાદરો સાથે અનેક હિન્દુ લોકોએ પણ તાજીયાના ઝુલુસ વખતે પોતાની માનતા પૂરી કરી ધન્યતા અનુભવી હતી.