સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિ ફરી વિવાદના વમળમાં ફસાઈ છે. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીએ માટે ધરમપુર સાયન્સ સેન્ટર અને દાંડીના એક દિવસીય શૈક્ષણિક પ્રવાસના આયોજનના ધાંધિયા જોવા મળ્યા હતા. કેટરર્સની ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને જમવાના સમયે નાસ્તો મળ્યો હતો, જેથી હાલત કફોડી થઈ ગઈ હતી.પ્રવાસનો સમય સવારે 5:30 નો હતો, જે 2 કલાક મોડો શરૂ થયો હતો. જેથી દાંડીનો પ્રોગામ રદ કરાયો હતો. વાઇરલ થયેલા ફોટા મુજબ, સવારે 9:11 વાગ્યે પણ બસ સુરતમાં જ હતી.