કાલોલ: ચલાલી ગામના પ્રાથમિક શિક્ષકે અગમ્ય કારણોસર પોતાના ઘરે કરી આત્મહત્યા, કામનું ભારણ વધુ હોવાના આક્ષેપો
કાલોલ તાલુકાના ચલાલી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકે રવિવારે કોઈ અગમ્યકારણોસર આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાએ શિક્ષણ આલમમાં શોક અને ચકચાર જગાડી છે.જોકે સમગ્ર ઘટના અંગે સંભવિતપણે શાળાના સતત કામના ભારણને કારણે આત્મહત્યા કરી હોવાના આક્ષેપો અને લોકચર્ચાએ શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. સમગ્ર પ્રકરણમાં પોલીસ કંઇ દિશામાં આગળ વધે છે એ લોકચર્ચાનો વિષય બન્યો છે.