વિજાપુર: વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ ખાતે સહકારીતા સ્નેહ તથા ખેડૂત સંમેલન યોજાયું ધારાસભ્ય સીજે ચાવડા હાજર રહ્યાં
વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ યાર્ડ ખાતે આજરોજ બુધવારે બપોરે 12 કલાકે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સહકારીતા સ્નેહ સંમેલન તથા ખેડૂત સંમેલન સફળતાપૂર્વક યોજાયું હતું. સંમેલનમાં ધારાસભ્ય સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકર્તા ઓ હાજર રહ્યાં હતા.સંમેલનમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી સહકારીતા સંબંધિત યોજનાઓની માહિતી આપવામાં આવી હતી