થરાદ: થરાદમાં નવરાત્રી મહોત્સવ,SHE ટીમ સતત સક્રિય
થરાદમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન SHE ટીમ અને 112 જનરક્ષક મોબાઈલ સતત સક્રિય રહેશે. આ ટીમો દરેક પોલીસ સ્ટેશન હેઠળ કાર્યરત છે.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બહેન-દીકરીઓ નિર્ભયપણે નવરાત્રીની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. તેમને કોઈપણ પ્રકારનો ડર કે ભય ન રહે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.SHE ટીમ અને 112 મોબાઈલ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને સુરક્ષા પૂરી પાડવામાં આવશે, જેથી મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવનો આનંદ માણી શકે.