કાલોલ: મધવાસ ખાતે નિવૃત્ત કર્મચારી મંડળની 26મી સાધારણ સભા અને 70 વર્ષ પુર્ણ થતા નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો
કાલોલ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની ૨૬મી કારોબારી સભા રવિવારના રોજ બપોરે મધવાસ ગામના પ્રસિદ્ધ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે મળી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળની ૨૬ મી સાધારણ સભામાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમના પીઠબળ માટે પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિત રહ્યાં હતાં.