ડભોઇ: સરદાર બાગના કામમાં ભ્રષ્ટાચાર? સાધનો તૂટતાં કોંગ્રેસના આક્ષેપ
વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં ગત અઠવાડિયે સરદાર બાગને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બાગનું નવીનીકરણ કર્યા બાદ ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે લોકાર્પણના થોડા જ દિવસોમાં બાગમાં લગાવવામાં આવેલા સાધનો પૈકી લગભગ પાંચ જેટલા સાધનો તૂટી જતાં સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો છે.