ભાવનગર શહેર: હાદાનગર વિસ્તારમાં ઉભરાતી ડ્રેનેજથી લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો, ચેરમેનએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jul 18, 2026
ભાવનગરમાં શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી-1 માં અત્યારે વગર ચોમાસે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો ત્યાં તો સોસાયટીના માર્ગો પર ગટરના ગંદા પાણીથી ઉભરાઈ ગયા છે. સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆતો કરાઈ હતી. જે અંગે ઝડપથી કાર્યવાહી કરવા ચેરમેનએ પ્રતિક્રિયા આપી ખાતરી આપી હતી.