ગોધરા: પંચમહાલ કોંગ્રેસ પ્રમુખના પક્ષાંતર બાદ હવે કાર્યકારી પ્રમુખ અજિતસિંહ ભાટીના શિરે મજધારમાં રહેલી નૈયા પાર કરવાની જવાબદારી
પંચમહાલ કોંગ્રેસ પ્રમુખના પક્ષાંતર બાદ હવે કાર્યકારી પ્રમુખ અજિતસિંહ ભાટીના શિરે મજધારમાં રહેલી નૈયા પાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે,પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિનું કાર્યાલય હાલ અજીબોગરીબ સ્થિતિનું સાક્ષી બની રહ્યું છે. કાર્યાલયની દીવાલો પર રાહુલ ગાંધીના "ડરો મત" ના પોસ્ટર લાગેલા છે, જેની નજીક કાર્યલય મા સ્થંભ ઉપર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ઇન્દિરા ગાંધીની હસતી તસવીર જાણે પક્ષની વર્તમાન સ્થિતિને નિહાળી રહી છે. બીજી તરફ, કાર્યાલયના એક ખૂણે